અલ્હાબાદથી રીતા બહુગુણાની ટિકિટ કપાઈ: બીજેપીએ જાહેર કરી UPની વધુ એક યાદી
- 10 Apr, 2024
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે યુપીમાં પોતાના વધુ સાત ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજેપીએ અલ્હાબાદથી રીતા બહુગુણા જોશીની ટિકિટ કાપી છે. તેમના સ્થાને નીરજ ત્રિપાઠીને ઉતારવામાં આવ્યા છે. આ સિવાય મૈનપુરીથી બીજેપીએ પોતાનું પત્તું ખોલ્યું છે.
બીજેપીએ મૈનપુરીથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવની સામે જયવીર સિંહને ઉતાર્યા છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે બીજેપી મુલાયમ પરિવારની વહુ અપર્ણા યાદવને આ સીટ પર ઉતારી શકે છે. જોકે જયવીર ઠાકુરને ઉતારીને બીજેપીએ આ વાતની સ્પષ્ટતા કરી છે. જયવીર સિંહ ગત વિધાનસભા ચૂંટણીમાં મૈનપુરી સીટથી ચૂંટણી જીત્યા હતા. તે પછીથી તેમને યોગી સરકારમાં પર્યટન અને સંસ્કૃતિ મંત્રી બનાવવામાં આવ્યા. તેઓ ડિમ્પલની સામે પેટાચૂંટણી પણ લડી ચુક્યા છે.
પૂર્વાચલની સૌથી ચર્ચિત સીટોમાં સામેલ ગાજીપુર સીટ પર પણ બીજેપીએ તેના ઉમેદવારની જાહેરાત કરી છે. આ સીટ એટલા માટે ચર્ચામાં છે કારણ કે અહીંથી મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
બીજેપીએ આ સીટ પર પારસ નાથ રાયને ટિકિટ આપી છે. ગાજીપુરથી ચૂંટણી લડવા જઈ રહેલા રાય પુરાને બીજેપી નેતા રહ્યાં છે. જેમને મનોજ સિન્હાના નજીકના ગણવામાં આવે છે અને પ્રથમ વખત સાંસદની ચૂંટણીમાં ઉતરી રહ્યાં છે. બીજેપી સંગઠન અને આરએસએસ સાથે સંકળાયેલા રાય પ્રથમ વખત ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0